Published By : Patel Shital
- ટાઉન પ્લાનિંગ હેઠળ આ માર્ગ ફોરલેન બનાવવાનો છે
- પૂર્વ પટ્ટીના ગામોમાં ચર્ચા તો વિષય જેટલા વૃક્ષો કપાશે તેટલા ફરી ઉગાડાશે
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ફોરલેન માર્ગના નિર્માણ માટે બન્ને તરફ રહેલા 421 વૃક્ષોનો સફાયો કરવાનું શરૂ કરાયું છે.
ભરૂચ શહેરમાં સૌથી વધુ વિકાસ અને હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌથી વધુ ડેવલપમેન્ટ પૂર્વ પટ્ટીમાં થઈ રહ્યું છે. ભરૂચ હવે હાઇવે નંબર 48 ને પાર કરી સામેની બાજુ ઝાડેશ્વરથી વડદલા સુધી વિકસિત થઈ રહ્યું છે. અહીં શહેરીકરણ, સ્કીમો, ફ્લેટ, એપાર્ટમેન્ટનું કામ રાત દિવસ ધમધમી રહ્યું છે.
વિકસતા જતા ભરૂચ વચ્ચે વિનાશ પણ જોવા મળી રહ્યો છે. ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાર માર્ગીય રસ્તા માટે બન્ને તરફ આવેલા વૃક્ષોનું નિકંદન કરવાનું શનિવારથી શરૂ કરાયું છે.
માર્ગની ડાબી બાજુ રહેલા 295 અને જમણી બાજુ 126 મળી કુલ 421 વૃક્ષોનો સફાયો કરી દેવાશે. ત્યારે આ પટ્ટીના ગ્રામજનો તંત્ર દ્વારા વિકાસ માટે જેટલા વૃક્ષો કપાઈ રહ્યાં છે તેટલા જ વૃક્ષો વાવી તેનું જતન કરાઈ તેવી લાગણી સાથે માંગણી કરી રહ્યાં છે.