Home News Update Nation Update દુર્ગંધ ભર્યા રેલ્વેના ટોયલેટથી રાહત મળશે…

દુર્ગંધ ભર્યા રેલ્વેના ટોયલેટથી રાહત મળશે…

0

Published By : Patel Shital

  • ટ્રેનોમાં લાલ રંગવાળા 2500 કોચમાં ટોયલેટ અપગ્રેડ થશે…

ટ્રેનમા મુસાફરી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દુર્ગંધ ભર્યા ટોયલેટથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠે છે પરંતુ હવે આ સમસ્યાથી રાહત મળે તેમ જણાઈ રહ્યું છે.

રેલ્વે બોર્ડ ઉતર રેલ્વેનાં લાલ રંગવાળા કોચોના ટોયલેટ (LBH) ને અપગ્રેડ કરવાની મંજુરી આપી દીધી છે. જેને લઈને અધિકારીઓએ ટ્રેનોમાં અપગ્રેડેશનનું કામ શરૂ પણ કરી દીધું છે. બાકી ટ્રેનોમાં અપગ્રેડેશનનું કામ આગામી મહિનામાં જ શરૂ કરી દેવામાં આવશે. એમ જાણવા મળેલ છે ટ્રેનમાં સફર દરમિયાન સૌથી વધુ ફરિયાદ ટોયલેટને લઈને હોય છે. પરિસ્થિતિ એ છે કે ટોયલેટની ગંદકી અને પાણી ભરવાની તસ્વીરો અનો વિડિયો સોશ્યલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સમસ્યાને દુર કરવા રેલ્વે બોર્ડે પ્રારંભીક સમયમાં LBH કોચના ટોયલેટને અપગ્રેડ કરવાની મંજુરી આપી દીધી છે. એક અધિકારી અનુસાર ઉત્તર રેલ્વેમાં LBH ના લગભગ 2500 કોચ છે. તેમા દરેક ટોયલેટમાં 4 ટોયલેટ હોય છે. આ ટોયલેટને અપગ્રેડ કરવાના નિર્દેશ મળી ગયા છે. અપગ્રેડ બાદ ટોયલેટનો દેખાવ બદલાય જશે અને લોકોને સ્વચ્છ ટોયલેટ ઉપયોગ કરવા મળશે જેમાં CDTAP પેનલ ડોર લગાવાયા છે જેથી બાયોવેક્યુમ પેનલ, સ્ટેનલેશ સ્ટીલનાં ડસ્ટબીનને જગ્યા મળી શકે એમ જાણવા મળેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version