Published by : Rana Kajal
- પુત્રીની હત્યારણ પત્ની સામે પતિએ જ ફરિયાદ નોંધાવતા ધરપકડ
- ભરૂચની શ્રીરામ નગર સોસાયટીમાં રાજસ્થાની પરિવારમાં અગાઉ બે દીકરીના રહસ્યમય મોતમાં પણ માતા જ કાતિલ હોવાની શક્યતા
- બાજુમાં રહેતા જેઠના ઘરેથી આવેલી દીકરીને રમાડી, જમાડી માતાએ ઊંઘમાં જ કાયમ માટે સુવડાવી દીધી
15 દિવસ પેહલા પણ પત્ની સાથે અણબનાવમાં જલ્લાદ એવી જનેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો - 8 માર્ચે જ 3 વર્ષની બંશુકાનું રાજસ્થાનમાં હોળીના દિવસે રમતા રમતા મોત થયું હતું
- તો 3 વર્ષ પેહલા જ 20 દિવસની ત્રીજી દીકરી માતા પાસે જ હતી ને મૃત્યુ પામી હતી
ભરૂચની શ્રીરામનગર સોસાયટીમાં માતાએ જ ઊંઘમાં સૂતી 5 વર્ષની પુત્રીની ગળું દબાવી હત્યા કરી હોવાની પતિએ ફરિયાદ આપતા પોલીસે હત્યારણ માતાની ધરપકડ કરી છે.શહેરની મામલતદાર કચેરી સામે આવેલા શ્રીરામ નગરમાં 5 વર્ષની અંશુના રહસ્યમય મોતમાં માતાએ પતિ અને સાસરિયા સાથે અણબનાવમાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
મૂળ રાજસ્થાનના માનવરસિંગ રામસિંગ ચૌહાણ અને તેમના મોટા ભાઈ કલ્યાણસિંગ પરિવાર સાથે 8 વર્ષથી ભરૂચમાં રહે છે. તેઓના લગ્ન 8 વર્ષ પેહલા મધ્યપ્રદેશની નંદની સાથે થયા હતા.જેમાં 5 વર્ષ પેહલા પેહલી પુત્રી અંશુનો જન્મ થતા મોટાભાઈ કલ્યાણસિંહને કોઈ સંતાન ન હોય તેઓએ તેને દત્તક લઈ પાલન પોષણ કરતા હતા.રવિવારે માનવરસિંગ માર્બલ ઘસવા તવરા ગયા હતા. પાંચ વર્ષની દીકરી અંશુ કાકાના ઘરથી માતા-પિતાના ઘરે આવી હતી. બપોરે માતાએ બુમરાણ મચાવી હતી કે અંશુને કઈ થઈ ગયું છે. જાગતી નથી.
કાકા તુરંત અંશુને બાઇક પર લઈ સિવિલ હોસ્પિટલ પોહચતા બાળકીને મૃત જાહેર કરાઈ હતી. પિતા પણ સિવિલ પર પોહચતા દીકરીના ગળા પર લાલશ પડતા નિશાન જોયા હતા. પોતાની પત્ની નંદનીએ જ દીકરીની હત્યા કરી હોવાની પિતાએ ફરિયાદ આપતા એ ડિવિઝન પોલીસે હત્યારણ માતાની ધરપકડ કરી લીધી હતી.હત્યારણ માતા નંદનીએ કબૂલાત કરી હતી કે, ઊંઘમાં સૂતી અંશુની તેને જ ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ તે પણ આત્મહત્યા કરવાની હોવાની કેફિયત રજૂ કરી હતી.
પતિ અને સાસરિયા સાથે અણબનાવ હોય અને તે આ લોકો સાથે રહેવા માંગતી નહિ હોવાથી પુત્રીની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું. નિર્દય જલ્લાદ એવી જનેટ્સ નંદનીએ 15 દિવસ પેહલા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે.જ્યારે તેની 3 વર્ષની બીજી દીકરી બંશુકાનું પણ 8 માર્ચ હોળીએ વતન રાજસ્થાનમાં રમતા રમતા રહસ્યમય મોત થયું હતું. જોકે તે સમયે પરીવારે રાજસ્થાન પોલીસને ઘટનાની જાણ કરી ન હતી. ત્રીજી દીકરી પણ 20 દિવસની હતી ત્યારે જ રહસ્ય રીતે મૃત્યુ પામી હતી.અગાઉ બે દીકરીના શંકાસ્પદ મૃત્યુમાં પણ માતાની જ ભૂમિકા હોવાની શંકાને લઈ પોલીસે તે અંગે પણ તપાસ આરંભી છે.
રાજસ્થાનમાં અગાઉ બે દીકરીના મોતની તપાસમાં માતાના રીમાન્ડ મેળવવા તજવીજ
માતાએ જ બાળકીની હત્યામાં આગાઉ બે પુત્રીઓના પણ રહસ્યમય મોતમાં રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી તપાસ હાથ ધરાશે. તેમ પત્રકાર પરિષદમાં DYSP સરવૈયાએ જણાવ્યું હતું. હાલ એ ડિવિઝન PI વાઘેલાએ કાતિલ નંદનીના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.