Home Bharuch દેડિયાપાડાના AAP ના MLA નું એક્શન બાદ ભરૂચ ST વિભાગનું રિએક્શન….

દેડિયાપાડાના AAP ના MLA નું એક્શન બાદ ભરૂચ ST વિભાગનું રિએક્શન….

0
  • પાંચ બસો આજથી જ શરૂ અન્ય 5 બે દિવસમાં
  • સોમવારે ધારાભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા ડેપો ઉપર બંધ બસો ચાલુ ન કરાઇ તો ડેડીયાપાડા અને અંકલેશ્વર ડેપોને તાળા બંધીનું 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું
  • આપના આ એકમાત્ર આદિવાસી ધારાસભ્યએ સરકાર સામે લડી અને ફોડી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
  • ભરૂચ વિભાગીય નિયામકે તપાસ કરાવી આજે 5 બસ શરૂ કરાવી, કોરોના કાળમાં બંધ અન્ય 5 બસ બે દિવસમાં શરૂ થશે
  • ત્રણ ટ્રીપ મોટરેબલ રોડ નહિ હોવાથી બંધ

આપના એકમાત્ર આદિવાસી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રચંડ બહુમતીથી જીત્યા બાદ જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. અગાઉ નવી સિવિલ હોસ્પિટલ શરૂ નહીં કરવા અંગે સ્થળ મુલાકાત લીધા બાદ આ યુવા MLA એ સોમવારે દેડિયાપાડા ડેપોની મુલાકાત લીધી હતી.ડેપો ઉપર 30 રૂટો બંધ હોય વિસ્તારની પ્રજા, વિધાર્થીઓ અને વેપારી વર્ગને તકલીફ પડી રહી હોય આપ ધારાસભ્યએ એસટી તંત્ર અને સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની બસો આવતી બંધ કરાવવા સાથે અંકલેશ્વર અને ડેડીયાપાડા ડેપોને તાળા બંધીની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ પ્રજા માટે સરકાર સામે લડી લેવા અને ફોડી લેવાની તાકાત હોવાનું પણ કહ્યું હતું.બીજી તરફ ભરૂચ GSRTC ના વિભાગીય નિયામક વી.એચ. શર્માએ પ્રજાના પ્રતિનિધિ, અન્ય મુસાફરોના ફોન અને સોશ્યલ મીડિયાને લઈ તુરંત તપાસ કરાવી હતી. જેમાં ડેડીયાપાડાના 15 રૂટો બંધ હોવાનું સામે આવ્યું હતું.

જે પૈકી સરીબાર નાઈટ, કુકરમુંડા, અંકલેશ્વર મેટ્રો લિંક, ઝઘડિયા બેડવાણ, સેલંબા મંગળવારથી જ શરૂ કરાવી દીધી હતી. કોરોનામાં ઓછી આવકને લઈ બંધ થયેલી 5 બસો 30 ડિસેમ્બર સુધીમાં એસટી વિભાગ શરૂ કરી દેશે. જેની એક મહિનો સુધી આવક અને મુસાફરોના પ્રવાહને જોઈ ટ્રીપોમાં વધારો કરવાનો નિર્ણય લેવાશે. જ્યારે અન્ય ત્રણ બસો રસ્તા ખરાબ હોય મોટરેબલ રસ્તો બનાવવા સરપંચોને જાણ કરી શરૂ કરવા એસટી વિભાગે તજવીજ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version