- ‘પંછી નદિયાં પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે’
- સ્થાનિક તેમજ દેશનાં વિવિધ ભાગમાંથી ઉપરાંત વિદેશથી પણ પક્ષીઓ શિયાળો ગાળવા આવી પહોંચ્યા
જૂનાગઢમાં શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતા જ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં વિવિધ પ્રકારના પક્ષીઓનું આગમન થયું છે. જેને લઇ પક્ષી પ્રેમીઓમાં પણ ઉત્સાહ છવાયો છે.
લોકોને બહારગામ તથા વિદેશ જવા ટિકિટ તથા પાસપોર્ટની ઉપરાંત મંજૂરીની જરૂર પડે છે પરંતુ એકમાત્ર પક્ષીઓને આ પ્રકારના નિયમ લાગુ પડતા ન હોવાથી બિન્દાસ પોતાના વાતાવરણ મુજબ રહેણાંક પસંદ કરે છે. ત્યારે દર વર્ષે શિયાળાના આગમન સાથે જ મોટી સંખ્યામાં ભારતીય ઉપરાંત વિદેશીપક્ષીઓ નરસિંહ મહેતા સરોવરમાં અનોખી અદાઓમાં તરતા જોવા મળે છે. તળાવમાં દેડકા માછલી તથા નાની જીવાત ઉપરાંત વનસ્પતિ સહિતનો પૂરતો ખોરાક ઉપરાંત અનુરૂપ વાતાવરણ મળતું હોવાથી શિયાળામાં તેનું રહેણાંક બદલી આવતા હોય છે. શહેર મધ્ય જ આવેલા નરસિંહ મહેતા સરોવરમાં પક્ષીઓના કલબલાટથી અનોખો માહોલ જોવા મળે છે, જે શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.




