Published by : Rana Kajal
પત્રકારો અને પત્રકારત્વ અંગે ચોક્કસ મોરલ અને કાયદાકીય નિયમો હોય છે. પરંતુ જેમ પાકિસ્તાન કોઇ નિયમોનું પાલન કરવામાં માનતું નથી તેવી જ રીતે પાકિસ્તાની પત્રકારો પણ કોઇ નિયમોને માનતા નથી એટલું જ નહી પરંતુ સર્વના ધર્મને માન આપવામા માનતા નથી. તેથી જ પાકિસ્તાની પત્રકારો હિન્દુઓના ભગવાન વિશે વારંવાર વિવાદિત નિવેદનો કરતા રહે છે…જેમ કે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોલીસે હિંદુ દેવતા હનુમાનનું અપમાન કરવા બદલ ઈશનિંદા કાયદા હેઠળ એક પત્રકારની ધરપકડ કરી છે. વધુ વિગતે જોતા મીરપુરખાસ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઍક કેસ પણ નોંધવામાં આવ્યો છે. જેની વિગત જોતા ફરિયાદી રમેશ કુમારના જણાવ્યા મુજબ તે લુહાના પંચાયત મીરપુરખાસના ઉપપ્રમુખ છે.તેનો દાવો છે કે તાજેતરમા તા 19 માર્ચે તે તેના મિત્રો સાથે હતો ત્યારે તેણે જોયું કે અસલમ બલોચ નામના સ્થાનિક પત્રકારે તેના ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ પર ભગવાન શ્રી હનુમાનની તસવીર શેર કરી હતી.આ તસ્વીર જોતા હિન્દુઓની ધાર્મીક લાગણી દુભાય એમ જણાઈ રહ્યું છે. જેના કારણે ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા પત્રકારની ધરપકડ કરવામાં આવી.




