Home International પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોના કુટુંબી જનોની કફોડી હાલત…

પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોના કુટુંબી જનોની કફોડી હાલત…

0

Published by : Rana Kajal

  • પુત્રો જેલમા હોવાથી માતાએ ભીખ માંગી, કેન્સર ગ્રસ્ત પિતાએ ચોકીદારી કરી…

ભારતનાં માછીમારોએ વર્ષો પાકિસ્તાનની જેલમા યાતના ભોગવ્યા બાદ ભારત પરત ફર્યા છે પરંતું આ દિવસો દરમીયાન માછીમારોના સ્વજનોની ખુબ કફોડી હાલત થઈ હતી. જેમ કે પોરબંદરના મુકેશ.. ચાવડા, દિનેશ ચાવડા અને નરેશ ચાવડા તા 18-2-20ના રોજ માછીમારી કરવા બોટમાં નીકળ્યા હતા . ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા બંદૂકના નાળચે અપહરણ કરી પાકિસ્તાનની જેલમા પુરી દીધા હતા. પાકિસ્તાનમાં એકજ બેરેકમાં ખીચોખીચ ભરવામાં આવતા હતા. સાથેજ અઠવાડિયામાં ત્રણ વખત મરઘી આપવામા આવતી હતી. જેથી શાકાહારીઓએ ભુખા રહેવું પડતું હતું. કોઇપણ બીમારીમાં માત્ર એક સફેદ ગોળી આપવામા આવતી હતી. જ્યારે મુકેશ ચાવડા પાકિસ્તાનની જેલમાં હોવાથી અપંગ માતાનો સહારો જેલમા જતો રહ્યો હતો. તેથી માતાએ ભીખ માંગી ગુજરાન કરવુ પડ્યું હતું. જ્યારે કેન્સરની બીમારી થી પીડાતા પિતાએ સિક્યુરિટી ગાર્ડ ની ફરજ પણ નિભાવવી પડી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version