Published By : Patel Shital
આવનાર તા. 19 મે ને શુક્રવારના દિવસે શનિ જયંતિ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગર, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળ દ્વારા મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન સવારે 9:00 થી બપોરે 12:૦૦ કલાક સુઘી શ્રી ભરૂચ પાંજરાપોળ, શકિતનાથ, જે. બી. મોદી પાર્કની બાજુમાં ભરૂચ ખાતે કરવામાં આવેલ છે.
અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ પથંકમાં ધાર્મિક પ્રસંગોને પણ સમાજહિતના અવસર તરીકે ગણવામાં આવે છે અને વિવિધ જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ લોકોની આર્થિક, આરોગ્ય લક્ષી કે અન્ય જરૂરિયાત પુર્ણ થઈ શકે.