Published By : Aarti Machhi
માત્ર ગુજરાત રાજ્ય જ નહિ પરંતુ સમગ્ર દેશમાં ધાર્મિક સ્થાનક તરિકે પ્રસિદ્ધ એવા પર્વત પર આવેલ ધાર્મિક સ્થાનક એવા પાવાગઢ ખાતે ખુબ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડયા હતા .આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તો ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. દીવાળી પર્વ નિમિત્તે વહેલી સવારના 4 વાગ્યાથી મંદિરે ભક્તોની લાંબી કતાર જણાઈ હતી મહાકાળી માંના જયઘોષ સાથે માતાજીનું મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતુ.

અત્રે નોંધવુ રહ્યું કે સમગ્ર ભરૂચ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પદયાત્રા કરી પાવાગઢ ખાતે પહોચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો તે સાથે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો એસ ટી બસ તેમજ અન્ય વાહનો દ્વારા પાવાગઢ પહોચ્યા હોવાના એહવાલ સાપડી રહયા છે. કોરોના મહામારીના કારણે વીતેલા બે વર્ષો દરમિયાન ભકતો કોરોના ગાઈડ લાઈનના પગલે પાવાગઢ જઇ શક્યા ન હતા. પરંતુ હવે કોરોના નિયંત્રણમાં હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોચી જઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.




