Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEntertainmentપીએમ નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી...

પીએમ નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી…

અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી, દરેક જણ અમિતાભ બચ્ચનને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ આપીને તેમના જન્મદિવસને ખાસ બનાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 80મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવીને વધુ ખાસ બનાવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બિગ બીને તેમના સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘અમિતાભ બચ્ચનને 80માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ભારતના શ્રેષ્ઠ અને અદ્ભુત ફિલ્મી હસ્તીઓમાંના એક છે, જેમણે પેઢીઓથી દર્શકોનું મનોરંજન કર્યું છે. ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે.’

સાત હિન્દુસ્તાની ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ દાયકાથી પોતાના દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તે સતત ફિલ્મોમાં સક્રિય રહે છે. હાલમાં જ બિગ બીની બે મોટી ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ગુડબાય’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો છે. અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસના અવસર પર, તેમની અમર-અકબર-એન્થની અને દીવાર જેવી આઇકોનિક ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ મુંબઈમાં રાખવામાં આવ્યું હતું, જેમાં શબાના આઝમીથી લઈને અનન્યા પાંડે સહિતના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security