Home BOLLYWOOD ફિલ્મ ‘વધ’ને લઈને ચર્ચા.. નીના ગુપ્તાએ શ્રદ્ધા હત્યા કેસ પર કરી વાત…

ફિલ્મ ‘વધ’ને લઈને ચર્ચા.. નીના ગુપ્તાએ શ્રદ્ધા હત્યા કેસ પર કરી વાત…

0

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘વધ’ને લઈને ચર્ચામાં છે. બોલિવૂડ પીઢ અભિનેતા સંજય મિશ્રા સાથે ક્રાઈમ થ્રિલર ફિલ્મ વધમાં પડદા પર જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 22 નવેમ્બરે રિલીઝ થયું હતું, જે સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર હતું અને હવે લોકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન નીના ગુપ્તાએ દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ પર વાત કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોથી પ્રેરિત થઈને શ્રદ્ધાની આટલી ક્રૂરતાથી હત્યા કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે નીના ગુપ્તાને આ વિશે પૂછવામાં આવ્યું હતું.

નીના ગુપ્તાએ આ જવાબ આપ્યો

નીના ગુપ્તાએ કહ્યું કે, સારી વસ્તુઓ પણ બતાવવામાં આવે છે, પરંતુ તેનાથી તો પ્રેરિત નથી થતા. તમે તમારા માતા-પિતાના પગ દબાવતા શીખતા નથી. મને લાગે છે કે તેની સાથે કોઈ સમસ્યા છે અને ડૉક્ટરની જરૂર છે. તે કહેવું ઘણું ખોટું છે કે તેઓ સ્ક્રીન પર કંઈક જોઈને પ્રેરણા મેળવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, જ્યારે વધનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે એવી અફવાઓ ઉડી હતી કે, ફિલ્મમાં મર્ડરનું ચિત્રણ શ્રદ્ધા હત્યા કેસ જેવું જ છે. જોકે, બાદમાં ANI સાથે વાત કરતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે તેમની ફિલ્મને શ્રદ્ધા હત્યા કેસ સાથે કોઈ લેવાદેવા નથી. વધ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ છે જેમાં સંજય મિશ્રા અને નીના ગુપ્તા ઉપરાંત અભિનેતા સૌરભ સચદેવ અને માનવ વિજ પણ જોવા મળશે. ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોમાં આ ફિલ્મને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. જો તેની રિલીઝ ડેટની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વધ 9 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે લોકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version