ભરૂચ જીલ્લા પંચાયતની પાછળ આવેલ આચારજીની ચાલમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ ૯૯ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જીલ્લા પંચાયતની પાછળ આવેલ આચારજીની ચાલમાં રહેતા વિલાસબેન રાજેશ રાણા ગત તારીખ-૪થી ડીસેમ્બરના રોજ પોતાના મકાનને તાળું મારી રોઝ હોસ્પીટલમાં નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણા તેમજ રોકડા ૫ હજાર મળી કુલ ૯૯ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.