Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં આજે મકરસંક્રાંતિના દિવસે દાનપુણ્ય દ્વારા કરાઈ ઉજવણી...

ભરૂચમાં આજે મકરસંક્રાંતિના દિવસે દાનપુણ્ય દ્વારા કરાઈ ઉજવણી…

Published by : Rana Kajal

ઉત્તરાયણ પર્વ ભલે 14 જાન્યુઆરીએ ઉજવાતો હોય પરંતુ આ વખતે દાન-પુણ્યનું મહત્વ 15 મી જાન્યુઆરીના રોજ છે કારણ કે સૂર્ય શનિવારે રાત્રે 8.46 કલાકે મકર રાશિમાં પ્રવેશ્યો છે અને આજે સૂર્યદયથી સૂર્યાસ્ત સુધી પૂર્ણકાળનો સમય છે. તેથી લોકોએ મકરસંક્રાતિનું દાન-પુણ્ય આજે કર્યું હતુ.

ઉત્તરાયણ તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ એટલે દાન પુણ્યનો મહિમા… આજે દાનપુણ્યના ધાર્મિકા કાર્યો સાથે અને લોકો દ્વારા ધાબા ઉપરથી આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. સૂર્ય દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકરસંક્રાંતિ કહેવાય છે. જે દિવસે ધાર્મિક ભાવનાથી લોકો પુણ્ય કમાવવા દાનપુણ્ય કરતા હોય છે.

 આજે મકરસંક્રાંતિ પર્વ નિમિતે સ્થાનિક ભરૂચના નગરજનો દાનપુણ્ય કરતા નજરે પડ્યા હતા. રસ્તામાં લોકોએ ગૌમાતાને લીલોચારો અને ઘુઘરી ખવડાવી હતી અને દાનપુણ્ય કર્યાની લાગણી અનુભવી હતી. આજે ભરૂચના મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો દાનપુણ્ય કરવા એકત્રિત થયા હતા અને લોકોની અવરજવર વધી હતી. આજે ઉત્તરાયણ પર્વ નિમિતે ગરીબ લોકોને બોર, તલની અને સીંગની ચીકી,  પતંગો, રોકડરકમ, પતંગનીદોરીનું મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને દાન કર્યું હતું. તેમને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!