Home Bhadbut ભરૂચમાં માટીની મૂર્તિઓને નદીમાં વિસર્જિત કરવા અનુમતિની માંગ…

ભરૂચમાં માટીની મૂર્તિઓને નદીમાં વિસર્જિત કરવા અનુમતિની માંગ…

0

Published By : Parul Patel

  • ભાડભૂત ખાતે નદીમાં મોટી પ્રતિમાને વિસર્જન તો નાની મૂર્તિને ભરૂચમાં નર્મદામાં કેમ નહિ
  • નદીમાં મૂર્તિઓના વિસર્જન પર મનાઈનો નિયમ તંત્ર જ તોડી રહી હોવાનું અયોજકોનો મત

ભરૂચમાં નર્મદા નદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જનને લઈ હવે શહેરના કેટલાક આયોજકોએ સવાલો ઉઠાવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચમાં નાની પ્રતિમાના વિસર્જન માટે 3 કૃત્રિમ કુંડ તૈયાર કર્યા છે. જ્યારે મોટી મૂર્તિઓ ભાડભુત ખાતે વિસર્જન કરવાનું આયોજન કરાયું છે. હાલમાં જ તંત્ર સાથે યોજાયેલી ગણેશ આયોજકોની બેઠકમાં નાની મૂર્તિઓને નર્મદા નદીમાં જ ગોલ્ડનબ્રિજ ખાતે એક વિશાળ કુંડ બનાવી વિસર્જનની રજુઆત કરાઈ હતી. હવે શહેરના કેટલાક આયોજકો અને ભાડભૂત ગામના લોકોએ સુર ઉઠાવ્યો છે કે, ભાડભૂતમાં પણ નર્મદા નદી જ લાગે છે અને વહે છે. નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળ તો આગળ કેટલુંય દૂર છે. ભાડભૂતમાં ફક્ત ભરતી સમયે દરિયાના પાણી આવી ચઢે છે. જેનો સ્વીકાર રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ 8 હજાર કરોડની ભાડભૂત બેરેજ યોજનામાં કર્યો છે, કે ભાડભૂત ખાતે નર્મદા નદી પર સમુદ્રના ખારા પાણીને રોકવા તેમજ મીઠા પાણીનું સરોવર રચવા બેરેજ બનાવાય રહ્યો છે. હવે ભાડભૂતમાં નર્મદા નદીમાં વિરાટ પ્રતિમાનું વિસર્જનની વ્યવસ્થા કરી સુપ્રીમ અને NGT ના આદેશનું પાલન કઈ રીતે થઈ શકે. જો ભાડભૂતમાં નર્મદા નદીમાં મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ શકતું હોય તો માટીની નાની મૂર્તિઓને વિસર્જિત કરવા ભરૂચમાં નર્મદા નદીમાં વ્યવસ્થા કરાવવી જોઈએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version