Home Accident રાજસ્થાનના દિહોરમાં એક સાથે 10 ચિતા સળગી…હિન્દૂ-મુસ્લિમ સમાજના 10 હજાર લોકો અંતિમ...

રાજસ્થાનના દિહોરમાં એક સાથે 10 ચિતા સળગી…હિન્દૂ-મુસ્લિમ સમાજના 10 હજાર લોકો અંતિમ યાત્રામાં સામેલ…

0

Published By : Parul Patel

તાજેતરમાં પહેલા રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 12 યાત્રાળુઓના મોત થયા હતા. આજે તમામના મૃતદેહને ગુજરાત લાવવામાં આવ્યા અને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૃતકોમાં 10 લોકો ભાવનગર જિલ્લાના દિહોર ગામના રહેવાસી હતા. અંતિમ યાત્રામાં આસપાસના ગામોના 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગામમાં એક સાથે 10 ચિતા સળગાવવામાં આવી ત્યારે કોના આંસુ લુછવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સાથે આટલા મોતથી દિહોર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. એમ્બ્યુલન્સ દ્વારા 12 મૃતદેહોને મૂળ ગામ દિહોરમાં આવેલી સરકારી શાળામાં લાવવામાં આવ્યા હતા. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ-મુસ્લિમ સમુદાયના 10 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી હતી.

દિહોર ગામમાં એક સાથે 10 ચિતા સળગાવવામાં આવી ત્યારે કોના આંસુ લુછવા પડે તેવી સ્થિતિ સર્જાઈ

દિહોર ગામમાં આવેલા બજરંગ દાસ બાપાના મઢુલી આશ્રમમાંથી 10 સભ્યો દિહોર ગામથી મથુરા જવા માટે 12 દિવસની યાત્રાએ નીકળ્યા હતા. 9 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગરથી કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે લેવામાં આવી હતી, જેમાં તેણે ગુજરાત બોર્ડર ઓળંગીને નાથદ્વારા અને પુષ્કર સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અકસ્માત દરમિયાન બસ રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ. ડ્રાઈવર સહિત 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર નજીકની દુકાનમાં પાઇપ ખરીદવા ગયો હતો. આ દરમિયાન એક ઝડપભેર ટ્રકે બાજુમાં ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર હાજર 10 લોકો અને બસમાં મુસાફરી કરી રહેલા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version