Home Bharuch ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતા મેઘરાજાનો ફાઇનલ લુક રેડી…

ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતા મેઘરાજાનો ફાઇનલ લુક રેડી…

0

Published By:-Bhavika Sasiya

  • દિવાસાએ માટીની મૂર્તિની સ્થાપના બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય રૂપ બાદ અપાયો અંતિમ ઓપ
  • આ વખતે 19 વર્ષ બાદ મેઘરાજા 55 દિવસનું ભરૂચમાં આતિથ્ય માણી

એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ કરતા વધુ સમયથી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ આ વર્ષે ખાસ બની રહ્યો છે.

અધિક માસને લઈ ભરૂચમાં મેઘરાજા બે દશક બાદ બે મહિનાની મહેમાનગતિ મણનાર છે. છપ્પનિયા દુકાળ પેહલાથી ઉજવાતા મેઘઉત્સવમાં સમસ્ત ભરૂચ ભોઈ સમાજ દ્વારા અષાઢી અમાસ દીવાસાના દિવસથી મેઘરાજાની માટીની કલાત્મક મનમોહક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
જે બાદ સમાજના જ યુવા કલાકારો દ્વારા તેના મસ્તિષ્ક ઉપર ફેણીદાર નાગનો બીજો લુક બનાવી જાહેર કરાયો હતો. મેઘરાજને સફેદ રંગે રંગી ત્રીજું સ્વરૂપ આપ્યા બાદ હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મેઘરાજાના ફાઇનલ લુકમાં તેમને રંગ કરવામાં આવી રહ્યો હતો જે આજે પૂર્ણ થયો હતો. બાદમાં તેમને ભવ્ય શણગાર અને પોશાક સાથે દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version