સાંઈ શિંજીની એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલચરલ દ્વારા ભરૂચમાં કથા રંગનું આયોજન કરાયું છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો

બિરજુ મહારાજના પૌત્રી શિજીની કુલકર્ણી દ્વારા ભરુચ ખાતે માય લિવેબલ ભરુચ અંતર્ગત જે બાળકો કથક અને પેઇન્ટિંગ શીખી નથી શકતા તેવા બાળકોને વિના મૂલ્યે શીખવવા માટેના વરક્ષોપણું આયોજન કરાયું છે. ભરૂચ એસ.વી.એમ.આઈ.ટી. કોલેજ ખાતે 24 થી 28 ઓગસ્ટ સુધી પેટ્રોનેટ એલ.એન.જી. ની સી. એસ.આર. પહેલ હેઠળ આ કાર્યકમ યોજાશે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાગ લેનાર બાળકો સ્પર્ધકોને પ્રમાણ પત્ર સાથે કથા રંગમાં શીંજીની કુલકર્ણી અને સંજીબ ગોગોઇ દેશના શ્રેષ્ઠ માર્ગદર્શકો વર્કશોપમાં માર્ગદર્શન પૂરું પાડશે. અને 29 તારીખે તેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચેનલ નર્મદા પણ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે.
