ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સમાન કામ, સમાન વેતન,વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પડ્યા છે અને જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.