ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાશે. જે બાદ સાંજે 4 કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે.ભવ્ય જીત બાદ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારસભ્ય દળોની બેઠક મળશે. જે બાદ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 4 કલાકે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અને PM મોદી સાથે મુલાકાત થઈ શકે છે. અને નવા મંત્રીમંડળની યાદી અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. બંને નેતાઓ આજે સાંજે શીર્ષસ્થ નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
આજે મુખ્યમંત્રીના નામની સત્તાવાર થશે જાહેરાત
ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાશે. નવા મંત્રીમંડળ માટે ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય નિરીક્ષક નવા મુખ્યમંત્રી મંડળ માટે ગુજરાત આવશે. ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ વિધાનસભા દળની બેઠકમાં હાજરી આપશે. આજે પક્ષના નેતાના નામની સત્તાવાર જાહેરાત કરાશે. સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જુના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.