Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતનાં દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું એલાન કર્યું

ભારતનાં દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું એલાન કર્યું

આઇપીએલમાં સૌથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી બન્યો હતો રૈના

લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે. તેમના એલાન કર્યાની થોડી જ મીનીટો પહેલા એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, બંને દિગ્ગજ આઈપીએલ અને ઘરેલૂ ક્રિકેટ માટે ઉપલબ્ધ હતા, પણ હવે સુરેશ રૈનાએ આ વાતનું એલાન કર્યું છે કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ સાથે સંબંધિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે.

સુરેશ રૈના બીસીસીઆઈ દ્વારા એનઓસી પ્રાપ્ત કર્યા બાદ દેશ અને વિદેશની અલગ અલગ લીગસમાં રમવા માટે ઉપલબ્ધ હશે. આ પહેલા યુવરાજ સિંહ વિદેશી લીગ રમી ચુક્યા છે અને તેઓ તે દેશમાં આયોજિત થતી લીગ્સમાં પણ ભાગ લઇ ચુક્યા છે. સુરેશ રૈનાએ જણાવ્યું કે તેમણે યૂપીસીએ પાસેથી એનઓસી લીધું છે અને આ જાણકારી બીસીસીઆઈનાં સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને આપી દીધી છે. રૈનાએ આ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેઓ 10 સપ્ટેમ્બરથી શરુ થતી રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લેશે.

રૈનાની કારકિર્દી :

રૈનાએ 2000માં ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. તે ઉત્તર પ્રદેશની અંડર-16 ટીમનો કેપ્ટન બન્યો. તેણે 16 વર્ષની વયે ફેબ્રુઆરી 2003માં આસામ સામે ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે પછીની સીઝન સુધી બીજી મેચ રમી ન હતી. 2003માં તેણે અંડર-19 એશિયન વન-ડે ચેમ્પિયનશિપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. 2005ની શરૂઆતમાં તેણે તેની પ્રથમ-ક્લાસ મર્યાદિત ઓવરોની શરૂઆત કરી અને 53.75ની સરેરાશથી 645 રન બનાવ્યા. 2005ની શરૂઆતમાં ચેલેન્જર સિરીઝમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યો હતો અને સચિન તેંડુલકરને થયેલી ઈજા અને કેપ્ટન સૌરવ ગાંગુલીને સસ્પેન્ડ કર્યા બાદ રૈનાને શ્રીલંકામાં 2005 ઈન્ડિયન ઓઈલ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

2010 માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રૈનાને બીજી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. તેણે ઝિમ્બાબ્વેમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામેની ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું જ્યારે અન્ય તમામ પ્રથમ પસંદગીના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાંથી આરામ કર્યો હતો. ઝિમ્બાબ્વે સામે તેની કપ્તાની હેઠળની પ્રથમ મેચ છ વિકેટે હારી હતી. પરંતુ પછીની મેચ શ્રીલંકા સામે જીતી હતી. પછી બાકીની બે મેચ હારી અને ફાઇનલમાં જગ્યા બનાવી શકી નહીં. તે અત્યાર સુધી ક્રિકેટના તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો એકમાત્ર બેટ્સમેન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!