Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતના ચાર ભૂતિયા રેલ્વે સ્ટેશનો.... જ્યાં મુસાફરો ભૂતના ડર થી થર થર...

ભારતના ચાર ભૂતિયા રેલ્વે સ્ટેશનો…. જ્યાં મુસાફરો ભૂતના ડર થી થર થર કાંપે છે…

Published By:-Bhavika Sasiya

  •  ભારતના ચાર રેલ્વે સ્ટેશનો ભૂતિયા સ્ટેશનો તરીકે કુખ્યાત છે. આ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતાં મુસાફરો ભૂતના ડર થી પરસેવે રેબઝેબ થઇ જાય છે..

દેશમાં કેટલાક એવા રેલવે સ્ટેશન છે જેને ભૂતિયા કહેવામાં આવે છે. આવા સ્ટેશનોમાં મુંબઈના ડોમ્બિવલી રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. કે કહેવાય છે કે ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પર  એક મહિલા પોતાની ટ્રેનની રાહ જોતી જોવા મળે છે. આ મહિલા ઍક ભૂત હોવાની વાત વહેતી થઈ છે જેની સાથે જોડાયેલી એક ડરામણી વાર્તા જોતા… કહેવાય છે કે એકવાર એક વ્યક્તિ પોતાની ટ્રેન પકડવા માટે રાત્રે સ્ટેશન પર ઉભો હતો. ત્યાં તેણે એક સ્ત્રીને રડતી જોઈ. જ્યારે તેણે તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે તેની ટ્રેન પકડવા માંગતી હતી પરંતુ તે પકડી શકી નહીં. બીજા દિવસે તે વ્યક્તિ ફરીથી તેના મિત્ર સાથે રાત્રે તે જ પ્લેટફોર્મ પર પહોંચ્યો. ત્યાં તેણે ફરીથી તે જ મહિલાને ટ્રેનની રાહ જોતી વખતે રડતી જોઈ, પરંતુ તે મહિલા તેના મિત્રને દેખાતી ન હતી. ત્યારથી, મહિલાના ભૂતની વાર્તા ત્યાં ફેલાઈ ગઈ…

તેવીજ રીતે કોલકાતાનું રવીન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશનને ‘આત્મહત્યાના સ્વર્ગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે ત્યાં ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. જ્યારે કોઈ જગ્યા પર આટલા બધા લોકો આત્મ હત્યા કરી મૃત્યુ પામ્યા હોય, તો તે જગ્યા આપોઆપ ભારતમાં હોન્ટેડ રેલ્વે સ્ટેશન બની જાય છે. ઘણા લોકોનો દાવો છે કે તેઓએ રાત્રે આ મેટ્રો સ્ટેશન પર ઘણા લોકોની ચીસો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. આ જ કારણ છે કે રાત પડતાની સાથે જ આ સ્ટેશન નિર્જન થઈ જાય છે.

તેવી જ રીતે આવુ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના બેગનકોડોરમાં પણ છે. ભારતમાં ભૂતિયા રેલ્વે સ્ટેશન હોવાને કારણે આ રેલ્વે સ્ટેશન 42 વર્ષથી બંધ પડ્યું હતું. ઘણા લોકો કહે છે કે તેઓએ ઘણી વાર સફેદ સાડી પહેરેલી મહિલાને રાત્રે ટ્રેક પર ચાલતી જોઈ છે. લોકોનું માનવું છે કે કદાચ તે મહિલાનું ઘણા વર્ષો પહેલા ટ્રેનમાંથી કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું પરંતુ તેને મુક્તિ ન મળી શકી. એટલા માટે તે સ્ટેશન પર સતત ભટકતી રહે છે. ભૂતિયા સ્ટેશનની ચર્ચા ફેલાઈ જતાં તેને 42 વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હવે આ સ્ટેશન ફરીથી ખોલવામાં આવ્યું છે.

તેવીજ રીતે બરોગ રેલ્વે સ્ટેશન હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશન સુધી પહોંચવા માટે પર્વતને કાપીને એક ટનલ બનાવવામાં આવી હતી, જેનું કામ બ્રિટિશ એન્જિનિયર કર્નલ બરોગે કર્યું હતું. કહેવાય છે કે બાંધકામ દરમિયાન જ એન્જિનિયરે ટનલમાં આત્મહત્યા કરી લીધી હતી. એવો દાવો કરવામાં આવે છે કે હવે તે જ એન્જિનિયરની આત્મા બરોગ રેલવે સ્ટેશન પર ભટકતી રહે છે. ઘણા લોકો કહે છે કે સાંજ પડતાની સાથે જ આ સ્ટેશન પર વિચિત્ર ડરામણી ઘટનાઓ બનવા લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!