Home India ભારતના લોકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો…

ભારતના લોકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો…

0

Published By:-Bhavika Sasiya

  • દેશની ગરીબી અંગે UNનો રિપોર્ટ…
  • ભારત વિશે વિશ્વમાં ઍવી છાપ છે કે ભારત ઍક ગરીબ દેશ છે પરંતું હવે પરિસ્થિતી બદલાઈ રહી છે.

દેશમા મોંઘવારી અને બેરોજગારીના તમામ આંકડાઓ વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2005 થી 2021 વચ્ચે ભારતમાં લગભગ 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા . ગ્લોબલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI)ને ટાંકીને આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે જણાવે છે કે ભારત એ 25 દેશોમાં સામેલ છે જેણે 15 વર્ષમાં તેમના MPI મૂલ્યોને સફળતાપૂર્વક અડધું કરી દીધું છે જોકે આવા અન્ય 81 દેશોનો પણ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની જેમ ગરીબી સૂચક આકમાં સારૂ પ્રદર્શન કરનારા દેશોમાં ચીન, કંબોડિયા, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ જેવા દેશોનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2000 થી 2022 સુધી વિવિધ દેશોનું અલગ-અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 81 દેશો સામેલ હતા. આ રિપોર્ટમાં વિવિઘ દેશોના લોકો તેમનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે, શિક્ષણ અને આરોગ્યની કેટલી પહોંચ છે, આવાસ, પીવાનું પાણી અને વીજળી જેવી સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રીપોર્ટ મુજબ મુજબ ભારતમાં 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. જેના કારણે ગરીબી સૂચકાંકમાં ભારતનું પ્રદર્શન સુધર્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version