Home International ભારતને પરમાણુ હુમલાની ધમકી…. પાકિસ્તાનની શાહબાઝ સરકારના મંત્રીએ કહ્યુ ચૂપ બેસી રહેવા...

ભારતને પરમાણુ હુમલાની ધમકી…. પાકિસ્તાનની શાહબાઝ સરકારના મંત્રીએ કહ્યુ ચૂપ બેસી રહેવા માટે એટમ બોમ્બ નથી બનાવ્યો…

0

પાકિસ્તાનના મંત્રી બિલાવલએ આપેલ નિવેદન અંગે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. ત્યારે બિલાવલના સમર્થનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનની શાહબાઝ સરકારના મહિલા મંત્રી શાઝિયાએ કહ્યું, ‘પાકિસ્તાન જાણે છે કે કેવી રીતે જવાબ આપવો. પાકિસ્તાનની શાહબાઝ સરકારના મંત્રી શાઝિયા મારીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. શાઝિયાએ કહ્યું કે પાકિસ્તાન એવો દેશ નથી જે એક થપ્પડના પરિણામે બીજો ગાલ ફેરવી નાખે. શાઝિયાએ કહ્યું કે જો ભારત તરફથી કોઈ કાર્યવાહી થશે તો તેનો જવાબ આપવામાં આવશે. શાઝિયાએ વધુમાં કહ્યું કે, ‘મેં મોદી સરકાર દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિઓ સાથે ઘણા મંચો પર લડત આપી છે.’

નોંધનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદનનો ભારતમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શાઝિયાએ કહ્યું કે અમે ચુપચાપ બેસી રહેવા માટે એટમ બોમ્બ બનાવ્યો નથી. ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version