Published by : Anu Shukla
- મમતાના મંત્રીએ કહ્યું, સામાન્ય ટ્રેનનું નામ બદલી વંદે ભારત કરી દીધું અને હાઈ-સ્પીડ ટ્રેનનું ભાડું વસુલાઈ રહ્યું છે
- સામાન્ય ટ્રેનને વંદે ભારત ટ્રેનની જેમ પેઈન્ટ કરીને લોકોના નાણાંનો ઉપયોગ કરાતો હોવાનો ગુહાનો આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના દિગ્ગજ મંત્રીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા વંદે ભારત ટ્રેનને લઈ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળને જ્યારથી વંદે ભારત ટ્રેનની ભેટ અપાઈ છે, ત્યારથી અહીં રાજકારણ શરૂ થઈ ગયું છે. પહેલા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ઘણા આરોપો લગાવ્યો અને તેમના મંત્રી ઉદયન ગુહાએ પણ શબ્દ યુદ્ધ શરૂ કરી દીધું છે.
મમતાના મંત્રી ગુહાનો કેન્દ્ર સરકાર પર આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રી ઉદયન ગુહાએ કહ્યું કે, સામાન્ય ટ્રેનનું નામ બદલીને વંદે ભારત ટ્રેન કરી દીધું છે અને હાઈ-સ્પીડ ટ્રેનનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે. જો આ ટ્રેન હાઈ-સ્પીડ છે તો હાવડાથી ન્યૂ જલપાઈગુડી જવામાં 8 કલાક કેમ લાગે છે. સામાન્ય ટ્રેનને વંદે ભારત ટ્રેનની જેમ પેઈન્ટ કરીને લોકોના નાણાંનો ઉપયોગ ન કરો.
તાજેતરમાંજ કર્ણાટકમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાથી જલપાઇગુરી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ પશ્ચિમ બંગાળમાં ચાર રેલવે પ્રોજેક્ટ પણ લોંચ કર્યા હતા અને ન્યૂ જલપાઇગુરી રેલવે સ્ટેશનના રિડેવલપમેંટનો શિલાન્યાસ કર્યો હતો.