રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારમાં ભૂંગરા ગામમાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારના ભુંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં વરરાજાના પિતા અને ભત્રીજાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 તો બાળકોના જ મોત નિપજ્યા છે. હાલ જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં કુલ 36 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં 19 ની સ્થિતિ ગંભીર છે. ત્યાર બાદ ત્યાં સારવાર દરમિયાન 21 લોકોના મોત થઈ ગયા હતા. મંગળવારે વધુ પાંચ લોકોના મોત થઈ ગયા છે. તેમાંથી મૃતકોનો આંકડો 23 સુધી પહોંચી ગયો છે.
શેરગઢના ભૂંગરા ગામમાં લગ્ન સમારંભમાં થયેલા બ્લાસ્ટથી આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જ્યારે સતત થઇ રહેલા મૃત્યુના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ છે. જે ગલી અને મહોલ્લામાંથી જાન નિકળી હતી ત્યાં આજે અર્થીઓ નિકળી રહી છે. જે ઘરમાં શરણાઇના સુર ગુંજી રહ્યા હતા ત્યાં ગમનું વાતાવરણ છે.




