Published by : Vanshika Gor
- ગુજરાતમાં 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજના મંજૂર…રાજ્ય સભામા આપવામા આવી માહીતી
ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગેનો પ્રશ્ન રાજ્યસભામાં પૂછાતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂ. 50,013 કરોડના ખર્ચે 2077.46 કિ.મી.ના 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ ઉપરાંત નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી.નથવાણીએ આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ(આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો જાણવા માગી હતી.મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી ન હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
ગુજરાતમા આગામી સમયની મહત્ત્વની યોજનાઓ વીશે જણાવતા મંત્રીએ સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત સાબરમતી નદી પર રૂ. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ એનએચ-68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું રૂ. 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન એનએચ – 927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે રૂ. 246.6 કરોડના ખર્ચે થનાર યોજનાની માહીતી આપી હતી.