Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthલીચી ખાવા માટેનો આ બેસ્ટ સમયગાળો ! જાણો તેના ફાયદાઓ…

લીચી ખાવા માટેનો આ બેસ્ટ સમયગાળો ! જાણો તેના ફાયદાઓ…

Published By : Disha PJB

લીચી ઉનાળામાં જોવા મળતું એક એવું ફળ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. ઉનાળામાં આ ફળનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને તરસ ઓછી થાય છે. લીચી એ રસથી ભરપૂર ફળ છે, જેમાં 80 ટકા પાણી હોય છે. ઉનાળામાં આ ફળ તમને સ્વસ્થ રાખે છે. વિટામિન સીથી ભરપૂર લીચી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન B6, નિયાસિન, રિબોફ્લેવિન, ફોલેટ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વોથી ભરપૂર આ ફળ શરીરને સ્વસ્થ રાખવાની સાથે-સાથે શરીર અને પેટને ઠંડુ રાખે છે.

લીચી ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર લીચી પાચનતંત્રને મજબૂત બનાવે છે, તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. ઉનાળામાં તે ઉલ્ટી અને ઝાડાની સમસ્યામાં રાહત આપે છે.

વિટામિન સીથી ભરપૂર લીચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. લીચીમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન, નિયાસિન, રિબોફ્લેવિન અને ફોલેટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ઉનાળામાં લીચીનું સેવન કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. મીઠી અને રસદાર લીચીમાં 80 ટકા પાણી હોય છે. તેને ખાધા પછી ભૂખ ઓછી લાગે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

લીચીનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઊણપ પૂરી થાય છે. જો ગર્ભવતી મહિલાઓ લીચીનું સેવન કરે તો તેમના શરીરમાં આયર્નની ઊણપ પૂરી થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!