દેશના લોકસભામાં સંસદ સભ્ય તેજસ્વી સૂર્યએ આજે શહેરના 159 પૂર્વ વિધાનસભામાં જનસંભા સંબોઘી હતી.તેમણે આ જનસભા સંબોધનમાં ભારત જોડો યાત્રા અંગે રાહુલ ગાંધી પર ટિપ્પણીઓ કરી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સુરતના 159 પૂર્વ વિધાનસભામાં દેશના લોકસભામાં સાંસદ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ સુર્યાએ મોટી જનસભા સંબોધી હતી. જનસભામાં તેમણે રાહુલ ગાંધીના નામ લીધા વગર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ સુર્યાએ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ સુર્યાએ જનસભા સંબોધતા કહ્યું હતું કે, હું છેલ્લા 15-20 દિવસમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યો છું. સૌરાષ્ટ્ર, કર્ણાવતી, સાબરકાંઠામાં પ્રવાસ કર્યો અને મને આ બધી જગ્યાએ એક જ પાર્ટીના કાર્યકર્તાઓને હું જોઈ રહ્યો છું. એ ખાલી આપણી જ પાર્ટી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ટક્કરમાં કોઈ નથી. 15 થી 20 સીટ માટે કોગ્રેસ સાથે ટક્કર છે માત્ર નામ માટે જ છે.
વધુમાં કહ્યું કે, ચૂંટણીઓ રાજકીય પાર્ટીઓ માટે તહેવાર હોય છે.પરંતુ કોંગ્રેસ પાર્ટીના લોકો જોવા મળતા જ નથી.મારા જેવા કાર્યકર્તાઓ એક દિવસમાં ચાર થી પાંચ જનસભાઓ કરી પાર્ટીને જીતાડવા માટે મહેનત રહ્યા છે. તેજસ સુર્યાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા હતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કર્ણાટક તેલંગાણા તથા મહારાષ્ટ્રમાં વોકિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અહીં પણ નથી. તેઓ જાણી રહ્યા છે કે, રાજકીય વજનમાં તો વધારો થશે નહીં. પરંતુ વોકિંગ કરીને તેઓ પોતાનું વજન ઘટાડી શકશે માટે તેઓ વોકિંગ કરી રહ્યા છે.