Published by : Rana Kajal
લોકસભા અને રાજ્યસભાનું કામકાજ યોગ્ય રીતે ન થતાં અને વારંવાર શોર-બકોર અને ધાંધલ-ધમાલ થતા ગૃહના કામકાજ મોકૂફ રાખવાની ફરજ પડે છે. પરિણામે દેશની જનતાના નાણાંનો વેડફાટ થાય છે..
હાલમાં જ બજેટસત્રની સમાપ્તિ થઈ હતી. જેમાં લોકસભાની કાર્યવાહી 133 કલાકના સ્થાને માત્ર 45 કલાક જ ચાલી હતી. જ્યારે રાજ્યસભાની કામગીરી 130 ક્લાક નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ માત્ર 31 કલાક જ કામગીરી ચાલી હતી. આ વર્ષના બજેટસત્રની સરખામણી વિતેલા વર્ષો સાથે કરતા આ વર્ષનું બજેટસત્ર પાછલા 5 વર્ષોમાં સૌથી નિરાશા જનક સાબિત થયું હતું.
17મી લોકસભાના અંતિમ વર્ષમાં આ પરિસ્થિતિ જોતાં એમ કહેવાઈ રહ્યું છે કે લોકસભા અને રાજ્યસભા શિડ્યુલ મુજબ ન ચાલતા જનહિતના કામો અને મહત્વની ચર્ચાઓ અટવાઈ જાય છે. આ અંગે સરકાર તરફથી એમ કહેવાયું હતું કે ગૃહનું કામકાજ શિડયુલ મુજબ ચાલે તે માટે અધ્યક્ષે વિપક્ષ સાથે બેઠક પણ યોજી હતી. છતાં વિપક્ષે પૂરતો સહકાર ન આપ્યો તો તે સાથે કોંગ્રેસે એમ જણાવ્યું હતું કે અદાણીના મુદ્દા પર જેપીસી તપાસની માંગથી ધ્યાન હટાવવા સરકારે બિનજરૂરી મુદ્દા ઉઠાવ્યા હતા.