Published By:-Bhavika Sasiya
લોખંડને કાટ લાગે છે પરંતુ લોખંડના ટ્રેનના પાટાને કાટ લાગતો નથી તેના અનેક કારણો છે.
ટ્રેનના પાટા પર પાણી સતત પડતું રહે છે. પરંતુ તેમ છતાં ન તો તેને કાટ લાગ્યો કે ન તો પાટા નબળા પડે છે. ટ્રેકની બાજુઓમાં કાટ દેખાઈ શકે છે પરંતુ ઉપરની બાજુ હંમેશા ચમકતી હોય છે દેશભરમાં લગભગ રેલવે ટ્રેક 67,000 કિલોમીટર સુધી ફેલાયેલા છે. તેઓ હંમેશા ખુલ્લામાં જ હોય છે. જે શિયાળો, ઉનાળો અને વરસાદની મોસમનો સામનો કરે છે. ટ્રેકની આસપાસ કાટ હોઈ શકે છે, પરંતુ ઉપરનો ભાગ હંમેશા ચમકતો દેખાય છે.
જ્યારે લોખંડની બનેલી વસ્તુઓ હવામાં ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે તેને કાટ લાગી જાય છે. હવા સાથે પ્રતિક્રિયા કર્યા પછી તે વસ્તુ પર ભૂરા રંગનું સ્તર જમા થાય છે. આ આયર્ન ઓક્સાઇડનું સ્તર છે. રસ્ટ કોઈપણ પદાર્થ પર સ્તરોના સ્વરૂપમાં એકઠા થાય છે. જેમ-જેમ સ્તર વધે છે તેમ-તેમ કાટનો વિસ્તાર પણ વધે છે. લોખંડને ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તેને કાટ લાગી જાય છે. પરંતુ તેમના પર કોઈ કાટ હોતો નથી.
રેલ ટ્રેક ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ સ્ટીલને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે. તેમાં 12 ટકા મેંગેનીઝ અને 0 ટકા કાર્બન છે. રેલ ટ્રેકમાં રહેલી આ ધાતુઓને કારણે તેમના પર આયર્ન ઓક્સાઇડ બનતું નથી. જેના કારણે પાટા પર કાટ લાગતો નથી. જો પાટા લોખંડના બનેલા હોત તો વરસાદ દરમિયાન તેમાં ભેજ જળવાઈ રહેત. જેના કારણે તેમને કાટ લાગી જાય છે. કાટ લાગવાથી, પાટા નબળા પડે છે અને વારંવાર બદલવા પડે છે. ટ્રેકની નબળાઈને કારણે અકસ્માતનું જોખમ પણ વધુ રહે છે. તેથી જ ટ્રેક બનાવવામાં એવી ધાતુનો ઉપયોગ થતો હોય છે. જેમાં કાટ લાગતો નથી અને તે ખૂબ જ મજબૂત પણ રહે છે.