Published By : Parul Patel
વંદે ભારત ટ્રેનની શરૂઆત થયા બાદ ટ્રેન સાથે પશુઓની ટક્કરના બનાવો બન્યા હતા. જેના પગલે ટ્રેનને નુકશાન થયું હતું તે સાથે કેટલાક આવા બનાવોમાં પશુઓના મોત પણ નીપજ્યા હતા. તેથી જ રેલવે તંત્ર દ્વારા વાડ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કામગીરી શરૂ પણ થઈ ગઈ છે.

મુંબઇ-અમદાવાદ રેલવે માર્ગ પર વાડ બાંધવા અંગેની કામગીરી ખુબ ઝડપથી ચાલી રહી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા વદેભારત ટ્રેનના 622 કિમી લાંબા ટ્રેકની બન્ને તરફ મેટલની વાડ બાંધવાનુ કામ ચાલી રહ્યું છે. જે 20 ટકા કામ પુર્ણ થઈ ગયું છે. આશરે 120 કિમી ફેન્સીગનું કામ પુર્ણ થયુ છે આખા આ ટ્રેક પર વાડ બાંધવાનો ખર્ચ રૂ 245.26 કરોડ થશે, એવું રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.