હાલ પોલેન્ડની રાજધાની વોર્સોની ઍક હોસ્ટેલમાં રહેતા મૂળ ભારતના વતની એવા ડો. ગીરીકુમાર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા જણાવ્યું છે કે યુક્રેનમાં રહેલ જગુઆર અને પેન્થર ને બચાવી લે. આ અંગે ડો ગીરીકુમાર પાટીલે વધુમાં જણાવ્યુ છે કે તેઓ પુર્વ યુક્રેનના લુહાંનસ્કના સ્વાવતોવ વિસ્તારમા રહેતા હતા. રાજધાની કીવથી ડો.પાટીલે જગુઆર અને પેન્થર ખરીદ્યા હતા. ફેબ્રુઆરી માસમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલાની શરુઆત થઈ હતી ડો પાટીલ યુક્રેન છોડી નિકળી ગયા હતા પરંતુ પ્રાણીઓ યુક્રેનમાં રાખ્યા હતા ત્યારથી અત્યાર સુધી ડો પાટીલે પોતાની જમીન, બે મકાન, બે કાર અને અન્ય ચીજવસ્તુઓ વેચી યુક્રેનમાં તેમના પ્રાણીની સાર સંભાળ રાખી હતી. હવે જયારે તેમની પાસે કંઈ નથી ત્યારે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે યુક્રેનમાં રહેલ તેમના પ્રાણીઓને બચાવી લે..ભારતમાં લાવી કોઇ પ્રાણી સંગ્રહાલયમાં મૂકે અથવા તો જંગલમાં છોડી મૂકે…