Published by : Rana Kajal
- પાંચ વર્ષથી બન્ને પ્રેમ લગ્ન કરી રહેતા હતા આદિવાસી સમાજના રીતિરિવાજ મુજબ દાવો ભાંગવાનું કેહતા પતિએ પોત પ્રકાશ્યુ
નર્મદા જિલ્લાના સાગબારાના દેવમોગરા ખાતે ફોરેસ્ટ કર્મીની પત્નીએ આપઘાત કરી લીધો છે. પતિએ મજબૂર કરી હોવાની ફરિયાદ પિતાએ કરતા દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરમાં રહેતી મહિલાએ આપઘાત કરવાની ઘટનામાં પતિ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.
છોટાઉદેપુર રહેતા પુનિયાભાઇ ફીકલાભાઇ રાઠવા એ આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી દક્ષાબેને અજીત ભાઇ ભુરાભાઇ રાઠવા મુળ રહે.સીમલ ફળીયા છોટા ઉદેપુર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
પ્રેમ લગ્ન બાબતે સમાજના રિત રીવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો દક્ષાબેન વડોદરા ખાતે કોઇ ખાનગી હોસ્પીટલમા જોબ કરતા હોઇ તેઓ દેવમોગરા ખાતે તેમના પતિ અજીતભાઈ કે જે દેવમોગરા ખાતે ફોરસ્ટ ખાતામા નોકરી કરે છે તેમને સમાજના રિત રીવાજ મુજબ દાવાની વાત કરતા ત્યારે તેઓ કોઇ બહાનુ કાઢતો અને પત્ની ને કહેલ કે તુ મને ગમતી નથી.
તને રાખીશ તો પણ બીજી રાખીસ અને તુ અહીંયા થી જતી રહે તેમ કહી આપઘાત કરવા માટે મજબુર કરી મરવા માટેનુ દુસ્પ્રેરણ કરતા પત્ની દક્ષા બેને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન રાજપીપલા સરકારી દવાખાના ખાતે તેમનું મોત નિપજતાં પોલીસે પતિ અજિત વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.