Published By : Disha Trivedi
ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ વડોદરા વન વિભાગ અને સ્થાનિક પોલીસની મદદ લઇ વડોદરાના નાગરવાડા વિસ્તારમાંથી 14 સોળો પોપટ મુક્ત કરાવ્યા હતા.
ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને માહિતી મળી હતી કે , વડોદરા શહેરના કેટલાંક વિસ્તારોમાં કેટલાંક પરિવારજનો દ્વારા પોપટને પિંજરામાં રાખવામાં આવ્યા છે. તો કેટલાંક દ્વારા ઘરમાં પણ પિંજારામાં પોપટ રાખી વેચાણ પણ કરવામાં આવી રહ્યા છે. આ માહિતીના પગલે સંસ્થાના કાર્યકરોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન નાગરવાડા નવી ધરતી ગોલવાડમાં પિંજરામાં પોપટ રાખીને વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે વન વિભાગની ટીમને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે પિંજરામાં રાખવામાં આવેલા 14 નંગ સોળો પોપટ મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા 14 પોપટને આગામી દિવસોમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. સંસ્થાના સભ્યોએ લોકોને પણ અપિલ કરી છે કે પક્ષીઓને પિંજરામાં રાખવામાં ગુનો બને છે. જેથી પોપટને પાંજરામાં ન રાખવામાં આવે.