Published by : Rana Kajal
અત્યાર સુધી રસ્તા પર વાહન ઉભુ રખાવી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓનું ચલાન બનાવી દંડ કરવામાં આવતો હતો. પરંતુ ટૂંક સમયમાં આ દ્રશ્યો ભૂતકાળ બની જશે હવે “વન નેશન, વન ચલાનની યોજના અમલમાં ટુંક સમયમાં અમલમાં મુકવામાં આવશે. આ યોજનાના પગલે મેમો સિસ્ટમ સંપૂર્ણ ઓનલાઇન થઈ જશે… નવી સિસ્ટમમાં ટ્રાફિકનો મેમો વાહન માલિકના મોબાઈલ પર આવી જશે સાથે જ નિયમભંગ અંગેનો મેસેજ ભર્યા બાદ 90 દિવસમાં દંડના નાણાં નહી ભરાય તો તે અંગેની સંપૂર્ણ નોંધ નેશનલ નેટવર્કમાં નોધાઇ જશે. જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ મેમો નહી ભરનાર સામે વર્ચ્યુઅલ કોર્ટમાં કેસ કરવામાં આવશે…રાજયના અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ યોજનાનો અમલ ટુંક સમયમાં શરૂ થઈ જશે. જોકે ભરૂચમાં વર્ષ 2023ના અંત સુધીમાં “વન નેશન વન ચલાન”યોજના શરૂ કરી દેવામાં આવશે એમ જાણવા મળેલ છે.