Home News Update My Gujarat વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી બોટ ફસાઈ

વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી બોટ ફસાઈ

0

વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં નવસારીની એક માછીમારી બોટ યાંત્રિક ખામીને કારણે બંધ પડી જતાં દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. બોટ પર સવાર 13 માછીમારમાંથી 10 માછીમારને ઉગારી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરાઈ હતી. જ્યારે બોટ પર સવાર બોટના માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઈનકાર કરી બોટ પર જ રહ્યા હતા. તેઓ બોટ રિપેર કરવા માટે રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રેસ્કયૂ કરાયેલા માછીમારોને દમણ લઈ જવાયા

વલસાડ નજીક દરિયામાં ફસાયેલી બોટમાંથી 10 માછીમારનું રેસ્ક્યૂ કરી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માછીમારોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.



NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version