- હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા
ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકારણમાં એક્ટીવ થઇ ગયા છે. જ્યારે ચુંટણી આવે ત્યારે શંકરસિંહ બાપુ કંઈને કઈને ગતકડા કરતા હોય છે.ત્યારે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવવાની અટકળો તેજ થઇ છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીમાંથી મુકિત આપવા અંગે નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીમાંથી છૂટ આપવામાં આવે તો ગુજરાતમાં ચોખ્ખો દારૂ મળે. તો હાલમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે એવા સંકેત આપ્યા હતા. મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. તો અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંધાણ આપ્યા હતા.