Home Bharuch Devotional શું સાધુ, સંત, ઋષિ અને મુનિઓ હોય છે, અલગ અલગ..?

શું સાધુ, સંત, ઋષિ અને મુનિઓ હોય છે, અલગ અલગ..?

0

Published By : Parul Patel

ઘણાં લોકો એમ માનતા હોય છે કે સાધુ, સંત, ઋષિ અને મુનિ તમામ એકજ હોય છે. પરંતું એમ નથી, આ તમામ જુદા જુદા હોય છે જેમકે ધાર્મિક માન્યતાઓ અનુસાર, સત્યને અનુસરનારા લોકોને સંતની ઉપાધિ આપવામાં આવે છે.

પ્રાચીન સમયમાં એવા લોકોને સંત કહેવામાં આવતા હતા જે પ્રબુદ્ધ અને સત્યવાદી હતા. સંત રવિદાસ, સંત તુલસીદાસ, સંત કબીરદાસ એવા સંતો હતા, જેમણે વિશ્વ અને આધ્યાત્મિકતા વચ્ચે સુમેળ જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત તેમની રચનાઓ દ્વારા લોકોને સાચા-ખોટાનો પાઠ શીખવવામાં આવતા હોય. જ્યારે ધાર્મિક ગ્રંથો અનુસાર, એવા લોકોને સાધુ કહેવામાં આવે છે જેઓ તેમના આધ્યાત્મિક સાધનામાં સંપૂર્ણ રીતે મગ્ન રહે છે. જે વાસના, ક્રોધ, આસક્તિ, લોભ વગેરેથી દૂર રહે છે, તે સાધુ કહેવાય છે. સાધુ બનવા માટે ધાર્મિક ગ્રંથો વાંચવા જરૂરી નથી. આ લોકો પોતાની સાધના દ્વારા જે જ્ઞાન મેળવે છે, તેને સાધુ કહેવામાં આવે છે.

વૈદિક રચનાઓ બનાવનારાઓને ઋષિનું બિરુદ આપવામાં આવે છે. આવી વ્યક્તિઓ જે ક્રોધ, લોભ, આસક્તિ, મોહ, ઈર્ષ્યા અને અહંકારથી દૂર હોય છે, તે ઋષિ કહેવાય છે. આવા લોકોને કઠોર તપસ્યા પછી જ ઋષિનું બિરુદ મળે છે.
અને મુનિ એવા લોકો છે જેમને વેદ અને ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન હોય છે. મોટાભાગના મુનિઓ ઓછું બોલે છે અથવા મૌન રહે છે. એમ પણ કહી શકાય કે કઠોર તપ કર્યા પછી મૌન પાળનારા ઋષિઓને મુનિ કહેવામાં આવે છે, અથવા તેમને મુનિનું બિરુદ આપવામાં આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version