Home News Update Nation Update શું IRCTC પર ટિકિટ બુક કરતી વખતે વીમા વિકલ્પ પર ટિક કરવું...

શું IRCTC પર ટિકિટ બુક કરતી વખતે વીમા વિકલ્પ પર ટિક કરવું આવશ્યક છે..? કેમ અને કેવી રીતે..? આ નાનું પગલું…મોટો ફાયદો…

0

Published By : Parul Patel

તાજેતરમાં જ સૌથી મોટો ટ્રેન અકસ્માત ઓડિશાના બાલાસોરમાં થયો છે. આ ટ્રેનોની દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણાઓને મોટા પ્રમાણમાં ઈજાઓ થઇ છે. જીવનનું કોઈ મૂલ્ય નથી, પીડિતોના જીવન પર કોઈ કિંમત લાદી શકાતી નથી, પરંતુ શું આપણે આપણી પોતાની તકેદારી રાખી ના શકીયે ? આના માટે IRCTC પર ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરતી વખતે, મુસાફરોનો IRCTC દ્વારા વીમાનું પણ ઓપ્શન આપવામાં આવે છે. આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનું કવર આપવાની જોગવાઈ છે.

આ સુવિધા માટે ટ્રેનમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવા ઈચ્છો છો, તો તમારે ટિકિટ બુક કરાવતી વખતે તેના માટે અરજી કરવી પડશે. જ્યારે રેલ્વે ટિકિટ IRCTC થી ઓનલાઈન ખરીદવામાં આવે છે, તો તેમાં મુસાફરી વીમાનો વિકલ્પ આવે છે. જો તમે તેને પસંદ કરો છો, તો તમારે આ માટે માત્ર 35 પૈસા ચૂકવવા પડશે. બદલામાં, IRCTC તમને 10 લાખ રૂપિયા સુધીનું કવર આપે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક મુસાફરે ટિકિટ ખરીદતી વખતે 35 પૈસા ચૂકવીને આ વીમો લેવો પડશે.

સંજોગોવસાત અકસ્માત થાય તો તે કામમાં આવી શકે છે. જ્યારે તમે 35 પૈસા ચૂકવીને વીમો લો છો, ત્યારે ટિકિટ બુક થતાં જ ઈમેલ અને મેસેજ દ્વારા ‘દસ્તાવેજ’ મોકલવામાં આવે છે. તેને ખોલીને નોમિનીની મુખ્ય વિગતો ભરવાની રહે છે જે જરૂરી છે, અન્યથા તમને વીમાના નાણાંનો દાવો કરતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટ્રેન અકસ્માતના કિસ્સામાં, અસરગ્રસ્ત વ્યક્તિ અથવા નોમિની આ વીમાનો દાવો કરી શકે છે. આ માટે, પહેલા વીમા કંપનીની નજીકની ઓફિસમાં જઈને જરૂરી દસ્તાવેજો આપીને તમારો દાવો કરી શકો છો.

કેટલું કવર મળી શકે?

  1. મુસાફરના મૃત્યુના કિસ્સામાં, અથવા કુલ અપંગતા (100 ટકા) થાય તો ₹10 લાખનો દાવો કરી શકાય.
  2. આંશિક રીતે કાયમી અપંગતા આવે તો ₹7.5 લાખ મળી શકે
  3. ઇજાઓ થઇ હોય એના માટે 2 લાખ મેળવી શકાય

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version