Home Bharuch સંગીત ક્ષેત્રે ભરૂચની આગવી સિધ્ધિ…

સંગીત ક્ષેત્રે ભરૂચની આગવી સિધ્ધિ…

0

Published By:-Bhavika Sasiya

  • ભરૂચના આકાર સુરતી ની સમગ્ર દેશમાંથી થઈ પસંદગી…

સંગીત ક્ષેત્રે ભરૂચના ગૌરવમાં વધારો થયો છે. નેશનલ સ્કોલરશીપ વર્ષ 2020-21 માટેનું રાષ્ટ્રીય સ્તરનું પસંદગી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હાર્મોનિયમ ક્ષેત્રે આખા ભારત દેશમાંથી ફક્ત ભરૂચ જિલ્લાનાં સંગીત કલાકાર આકાર દેવેન્દ્રભાઈ સુરતીની પસંદગી કરવામાં આવી છે. જે ભરુચ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત કહી શકાય.

આકાર સુરતી એક ઉત્કૃષ્ટ હાર્મોનિયમ વાદક છે. તે ભારતના પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક ગુરૂ તન્મય દેવચકેના શિષ્ય છે, અને છેલ્લા 4 વર્ષથી ગુરુ-શિષ્ય પરંપરામાં તેઓની પાસેથી સંગીતની તાલીમ મેળવી રહ્યા છે. તેમજ આકાર સુરતી ભરુચમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો સમૃદ્ધ વારસો જળવાય રહે, લોકો ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળવા, શીખવા તરફ પ્રેરાય તે માટે પ્રયત્નશીલ છે જે માટે થઈ વર્ષ 2022 માં “સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન“ની શરૂઆત કરી હતી, જે અંર્તગત ભારતીય શાસ્ત્રીય સંગીત તેમજ વિભિન્ન પ્રકારના સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્ધારા કરવામાં આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version