Published by : Vanshika Gor
પુર્વ સાંસદ અને કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીનું સંસદ પદ થવાના પગલે આ પ્રકરણે ખુબજ રાજકિય ગરમાવો લાવી દીધો છે આવા વાતાવરણમાં કોંગ્રેસ ઍક અરજી કરી વિવિઘ માંગો ની રજુઆત કરી છે. મોદી સરનેમ પર બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકારી હતી અને બીજા જ દિવસે તેમને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હવે શનિવારે સુપ્રીમ કોર્ટ માં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે કાયદાકીય સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દોષિત સાબિત થયા પછી આપમેળે ગેરલાયક ઠેરવવા જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) ની બંધારણીય માન્યતાને પડકારે છે, જે અંતર્ગત કોર્ટ દ્વારા કોઈ પણ સંજોગોમાં દોષિત ઠરેલા જનપ્રતિનિધિનું સભ્યપદ આપમેળે વિધાયક સંસ્થામાંથી ખતમ થઈ જાય છે. જૉકે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે. તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદને છોડવું પડશે.આ નિયમ મુજબ રાહુલનું સભ્યપદ જતું રહ્યું. સુરતની કોર્ટે રાહુલને સજા સંભળાવી છે તેણે રાહુલને ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. ત્યાં સુધી રાહુલની સજા પર સ્ટે છે એટલે કે તે આ સમયગાળા દરમિયાન જેલ જવાથી બચી જશે.