Published By : Disha PJB
- વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો
- સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા
- ભરૂચ જિલ્લાની શાળાઓ બહાર કેટલાય વિધાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનો રજાના પાટિયા જોઈ પરત
- કેટલીક શાળાઓ કાર્યરત રહી, ગામડાના છાત્રોની હાલાકીનો પાર ન રહ્યો.
બિપોરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું હતું.
ભરૂચ જિલ્લા તંત્રે શુક્રવારે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય છેક રાતે 11 કલાકે લીધો હતો. તેમાં પણ વિષમ સ્થિતિમાં આચાર્યોએ વિવેક બુદ્ધિ વાપરી રજાનો નિર્ણય લેવા ધોળી દેવાયું હતું.
શુક્રવારે વહેલી સવારે વાલીઓ અને વિધાર્થીઓ સાથે સ્કૂલ બસ, ઓટો અને વાન શાળાએ પોહચ્યા બાદ તેઓને પાટિયા જોઈ રજા હોવાની જાણ થઈ હતી. સ્કૂલોમાંથી રજાના મેસેજ સવારે કલાકે કરવામાં આવ્યા હતા. જે કેટલાય વાલી અને વિદ્યાર્થીઓએ જોયા પણ ન હતા.
સવારે તૈયાર થઈ શાળાએ પોહચ્યા બાદ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. સૌથી ખરાબ હાલત ગામડાના વિદ્યાર્થીઓની થઈ હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં અમુક શાળાઓ ચાલુ પણ રહી હતી.