Home News Update My Gujarat સુરતના લંકાપતિ પરિવારને દશેરાના પર્વ નિમીત્તે લોકોની સલાહ બહાર ન નીકળતા લોકો...

સુરતના લંકાપતિ પરિવારને દશેરાના પર્વ નિમીત્તે લોકોની સલાહ બહાર ન નીકળતા લોકો સળગાવી દેશે…

0

સુરત

અંગ્રેજી સાહિત્યમાં એમ કહેવાયું છે કે નામમાં શું રાખ્યું છે પરંતુ નામમાં ભલે કઈ ન રાખ્યું હોય પરંતુ સરનેમનુ એટલે કે અટકનુ ચોક્ક્સ મહત્વ છે જેમકે લંકાપતિ અટક ધરાવતા સુરતના પરિવારને લોકો અને મિત્રો દશેરા પર્વ નિમિત્તે સલાહ આપે છે કે બહાર ન નીકળતા લોકો સળગાવી દેશે…. ઍક કુટુંબની સરનેમ એટલે કે અટક લંકાપતિ કેમ પડી તેની રસપ્રદ વિગત જોતા હાલ સુરતમાં રહેતા મિતુલ ભાઇ અને મહેશ ભાઇ પાંચ પેઢીથી સુરતમાં વસવાટ કરે છે તેમના જણાવ્યા મુજબ તેમના બાપદાદાના સમયમાં સુરત આટલુ બધુ વિકસિત ન હતુ આજુબાજુ નાના નાના ગામડાઓ હતા. મિતુલ ભાઇના દાદાના પરદાદા કાલિદાસ ગોટાવાલા સલાબત પૂરા વિસ્તારમાં રામમંદિર પાસે રહેતા હતા અને રોજ રાત્રે જમ્યા બાદ સત્સંગ માટે મંદીરના ચોરા પર જતા હતા.કાલિદાસ ગોટાવાલા ભરાવદાર મૂછ સાથે મજબૂત અને કદાવર શરીર ધરાવતા હતા. તેવામાં ઍક રાત્રીના સમયે કાલિદાસ સત્સંગમાં ન જણાતા મંદીરના મહારાજે પૂછ્યું કે પેલા લંકાપતિ જેવા મજબૂત શરીર અને મૂછો ધરાવતા ભાઇ કેમ જણાતા નથી ત્યારથી જ કાલિદાસ ગોટાવાલાની અટક લંકાપતિ પડી ગઇ આ પરિવારના પુરુષોને લોકો રાવણ અને મહિલાઓને મંદોદરીના ઉપનામથી ઓળખે છે જ્યારે બાળકોને મેઘનાદના નામે ઓળખે છે . મિતુલભાઈ મિલમાં પ્રિન્ટિંગ માસ્ટર તરીકે ફરજ બજાવે છે સાથે જ અભિનયમાં પણ રૂચી ધરાવે છે તેમની ગુજરાતી ફિલ્મ ચોકઠું ફિટ ટુંક સમયમાં રિલીઝ થનાર છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version