Home News Update Crime સુરતમાં વ્યાજખોરોનો આતંક… 1.60 કરોડની રકમ સામે 3.57 કરોડની ઉઘરાણી કરનાર બે ...

સુરતમાં વ્યાજખોરોનો આતંક… 1.60 કરોડની રકમ સામે 3.57 કરોડની ઉઘરાણી કરનાર બે  ઝડપાયા…

0

સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. 1.60 કરોડની રકમ સામે 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંને વ્યાજખોરોએ રૂપિયા ન ચૂકવતા ફરિયાદીના ઘરે જઈને  મારવાની ધમકી આપી હતી.

સુરત શહેરમાં દિવસે દિવસે વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદી સુધીર અશોકભાઈ ગોયાણીએ ફરિયાદ કરી હતી કે, તેમણે આરોપી  ઘનશ્યામ રઘુભાઈ ચાવડા અને હરેશ રઘુભાઈ ચાવડા પાસેથી ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા 6% ને વ્યાજે પૈસા લીધા હતા. તે ઉપરાંત તેમની ત્રણ દુકાનો આરોપીના કહેવાથી તેમના  નામે કરી દીધેલ હતી. આરોપીએ ત્રણ દુકાન નો  ઓવર વેલ્યુએશન ભાવ લગાડી રૂપિયા પણ ફરિયાદીના નામે ૬ ટકા વ્યાજે ધિરાણ કરેલ હોવાનું ચડાવી વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 6 કરોડનો હિસાબ કરી પઠાણી ઉઘરાણી કરી હતી. ફરિયાદી પૈસા લીધા બાદ તેઓ સમયસર પૈસા પણ ચૂકવતા હતા એમ કરી કુલ 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર તેઓ બે મહિનાથી પૈસા ન આપતા આ બંને આરોપી દ્વારા ફરિયાદીને ધાકધમકી આપવામાં આવી હતી. જેને લઈને ફરિયાદીએ  સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહીને કરતા અંતે ફરિયાદીએ સુરત પોલીસ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરતા પોલીસ કમિશ્નર દ્વારા વ્યાજખોરો પર સકંજો કસવા માટે આદેશ આપ્યો હતો અને  સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજરોજ 1.60 કરોડની રકમ સામે 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજ ખોરોની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

( ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version