Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરત ખાતે યોજાઈ રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પર્ધા...

સુરત ખાતે યોજાઈ રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પર્ધા…

Published by : Anu Shukla

  • સમગ્ર ગુજરાતના 46 થી વધુ સંસ્કૃત પાઠશાળાનાં 600 ઋષિ કુમારો એ ભાગ લીધો

સુરતના અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઇ છે. સમગ્ર રાજ્યની 46 થી વધુ સંસ્કૃત પાઠશાળાના 600 થી વધુ વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારો જ્યારે વેદ અને પુરાણ શ્રીમદ ભાગવત ભાગવત ગીતા કંઠસ્થ કરીને આવ્યા છે તેની સાથે સાથે જુદા જુદા 31 થી વધુ વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું છે.

સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મી રાજ્ય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 600થી વધુ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું મહત્વ એટલા માટે છે કે જે 600 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની તૈયારી કરીને આવ્યા છે તેમાં ચારેય વેદ, 18 પુરાણ, વ્યાકરણ શાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર સહિત અનેક વિષયોના જે આપણા ગ્રંથો-શાસ્ત્રો છે. તેના જુદા જુદા વિષયો ઉપર સ્પર્ધા નું આયોજન કરાયું છે. જેમાં સૌથી મહત્વની સલાહકાર સ્પર્ધા છે. જેમાં 300,400 કે 500 શ્લોક જે હોય તે પૈકી કોઈપણ એક સ્થળે સળી મૂકીને એ શ્લોક સ્પર્ધકને બતાવવામાં આવે છે. અને ત્યાર પછીના જેટલા પણ શ્લોક હોય તેનું કંઠસ્થ પઠન વિદ્યાર્થીએ કરવાનું હોય છે. આમ તમામ વેદ પુરાણોની સંવર્ધન માટેનો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન હોય તેવું આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે. આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારો ભાગ લઈ રહ્યા છે એ સંસ્કૃતનું પઠન અથવા તો અભ્યાસ માત્ર જીવન નિર્વાહ માટે નહીં પરંતુ સંસ્કૃત ભાષા લુપ્ત ન થાય આપણી સનાતન સંસ્કૃતિ લોકો સુધી પહોંચે એને લોકો સમજે તેવા ઉમદા આશયથી આ ઋષિ કુમારો અભ્યાસ કરી રહ્યા છે. ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા આ ઋષિ કુમારો અત્યારે સ્પર્ધામાં ભાગ લઈ અને ભવિષ્યમાં આવા જ સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવાનું પણ જણાવી રહ્યા છે.

અડાજણ બદ્રીનારાયણ મંદિર સ્થિત રાજ્ય સ્તરીય આ સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જે રીતે સંસ્કૃતિ યુનિવર્સિટી અને રક્ષા યુનિવર્સિટી બનાવી છે. તેના નેજા હેઠળ જ આ સમગ્ર સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ પૈકી જે પ્રથમ ક્રમે આવશે તેમને રાષ્ટ્રીય સ્થળે પણ મોકલવામાં આવશે. તેની સાથે સાથે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર વધે તે માટે પણ રાજ્ય સરકાર તરફથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!