Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDevotionalહવેથી માઇભકતો પણ ધજા ચડાવી શકશે : પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

હવેથી માઇભકતો પણ ધજા ચડાવી શકશે : પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

  • શિખર ઉપર ધજા ચડાવવા ભક્તોએ દક્ષિણા ચૂકવવી પડશે
  • ધજા ચડાવનાર માઇભકત મંદિરમાં પૂજા પણ કરી શકશે
  • નવરાત્રી સિવાય અન્ય ધાર્મિક દિવસોએ ધજા ચડાવવા ભક્તો ઈચ્છે તો તેની નોંધણી પણ મંદિર શરૂ કરશે

યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિરના નવનિર્માણ બાદ ભકતોની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં આવનારા ભક્તોની સુવિધા અને મંદિરની દક્ષિણામાં વધારો થાય તેના ભાગરૂપે મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવેથી માઈભકતો શિખર ઉપર ધજા ચડાવી શકાશે. તેમજ ટ્રસ્ટી મંડળે માઈ ભક્તો માટે દક્ષિણાના અલગ-અલગ દર પણ નક્કી કર્યા છે.  નવરાત્રી દરમ્યાન જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તેઓએ મંદિરમાં નોંધણી કરાવીને ભેટ આપવી પડશે, જેના દર નીચે મુજબ છે…

  • 11 ફૂટની ધજા માટે રૂ. 3,100ની ભેટ
  • 21 ફૂટની ધજા માટે રૂ. 4,100ની ભેટ
  • 31 ફૂટની ધજા માટે રૂ. 5,100ની ભેટ
  • 41 ફૂટની ધજા માટે રૂ. 6,100ની ભેટ
  • 51 ફૂટની ધજા માટે રૂ. 11,000ની ભેટ આપવી પડશે.

આસો નવરાત્રીના પહેલા દિવસથી જ એટલે કે 26 સપ્ટેમ્બર, 2022થી તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો તેમજ ધૂપ આપવામાં આવશે. એ સિવાય મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે. નવરાત્રી સિવાય અન્ય ધાર્મિક દિવસોએ ધજા ચડાવવા ભક્તો ઈચ્છે તો તેની નોંધણી પણ મંદિર શરૂ કરશે.

મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કરેલા ભાવ મુજબ નવ દિવસ સુધી દરરોજની પાંચ ધજા ચડાવવામાં આવશે અને એક ધજા મંદિરના પ્રમુખના નિર્ણય ઉપર વધારાની ચડાવવામાં આવશે. યજમાને ચડાવેલી ધજાને તેઓ ઘરે લઈ જવા માંગતા હોય તો મંદિર ટ્રસ્ટને કુરિઅર કરી મોકલી આપશે તેવી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જે યજમાન ભક્તો ધજા પરત ન લઈ જાય તે ધજાને ગામડાઓના નાના મંદિરો ઉપર ચડાવવા માંગતા મંડળો કે ભક્તોને ધજાની લંબાઈ મુજબ યોગ્ય દક્ષિણા લઈ આપવામાં આવશે. ધજા લાલ કલરની તેમજ શ્રી કાલિકા માતાજીના લખાણવાળી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!