Home News Update My Gujarat હવે કઠોળ પણ કડવા થશે… ભાવમાં વધારો થતા ચિંતાનું કારણ….

હવે કઠોળ પણ કડવા થશે… ભાવમાં વધારો થતા ચિંતાનું કારણ….

0

આગામી સમયમાં રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ માટે લોકોએ ઘણી આશા- અપેક્ષાઓ રાખી છે. પરંતુ એ પહેલા જ દેશના ઘણા ભાગોમાં તુવેર દાળના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તુવેરની દાળના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કઠોળ પાકોના ઉત્પાદન પર અસર થવાને કારણે સપ્લાયમાં ઘટાડો હોવાને પગલે ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું નિષ્ણાતોએ કહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તુવેર સહીત અડદ, મગ જેવા કઠોળ પર નિષ્ણાંતો નજર રાખી રહ્યા છે. તો વિદેશથી સપ્લાય વધવાથી ભાવ નિયંત્રણમાં આવવાની આશા સેવાઈ રહી છે. તુવેરના દાળની કિંમતો MSP કરતા ઉપર ચાલી રહી છે. કર્ણાટકમાં મહત્તમ ભાવ 11900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મહારાષ્ટ્રમાં 11500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઉત્તર પ્રદેશમાં 9990 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ગુજરાતમાં 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે. નવા વર્ષની શરૂઆતથી 18 જાન્યુઆરી સુધી ગુજરાતમાં તુવેરની દાળનો આંકડો 4717 ટનથી ઘટીને 3811 ટન થયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version