Home News Update Nation Update હું કોઈની દયા પર રેસલિંગ ફેડરેશનનો પ્રમુખ નથી બન્યો, મોં ખોલીશ તો...

હું કોઈની દયા પર રેસલિંગ ફેડરેશનનો પ્રમુખ નથી બન્યો, મોં ખોલીશ તો સુનામી આવશે : બ્રિજભૂષણ શરણ સિંહ

0
  • રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે ચાલતા વિવાદમાં તેઓએ પ્રતિક્રિયા આપી
  • દેશના કેટલાય મેડલ વિજેતા કુશ્તી ખેલાડીઓએ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે

ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને વિવાદોમાં ઘેરાયેલા બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાના સવાલ પર કહ્યું છે કે તેઓ કોઈની દયાના આધારે આ પદ પર નથી.બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ સાંજે 5 વાગ્યે આ મુદ્દે વિગતવાર વાત કરશે.

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા દેશના કેટલાય મેડલ વિજેતા કુશ્તી ખેલાડીઓએ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં જાતીય સતામણીના આરોપોનો સમાવેશ થાય છે.ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના વિસર્જનની માંગ કરી રહ્યા છે.તેમણે આ મામલે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રમતગમત મંત્રાલયના અનેક અધિકારીઓ સાથે પણ વાત કરી છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહે આજે સંકેત આપ્યો કે તેઓ તેમની માંગને વધારે મહત્વ નથી આપી રહ્યા.બ્રિજ ભૂષણ સિંહે આજે મીડિયાને જણાવ્યું હતું કે, “હું કોઈની દયા પર બેઠો નથી. હું ચૂંટાયેલો પ્રમુખ છું.

જ્યારે બ્રિજભૂષણ સિંહને પૂછવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ દાવો કર્યો છે કે જો તેઓ ‘પોતાનું મોં ખોલે તો ભૂકંપ આવી શકે છે’, બ્રિજભૂષણ સિંહે કહ્યું, ‘જો હું તેમનું મોં ખોલીશ તો સુનામી આવશે.’પત્રકારોના સતત સવાલ પર બ્રિજ ભૂષણે કહ્યું કે, જો હું મારી જાતને રૂમમાં બંધ કરી લઉં તો શું તમને સંતોષ થશે? આ પછી તેણે કહ્યું કે તે સાંજે પાંચ વાગ્યે પોતાનો પક્ષ રજૂ કરશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version