Home Health & Fitness 13 થી 18 વર્ષની ઉમરના કિશોરો માટે જંકફૂડ વધૂ નુકસાનકર્તા…

13 થી 18 વર્ષની ઉમરના કિશોરો માટે જંકફૂડ વધૂ નુકસાનકર્તા…

0

Published by : Rana Kajal

તાજેતરમાં થયેલ સર્વે મુજબ ૧૩ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓ પોતાની રીતે જ પોતાની ફૂડ-હેબિટ બનાવે છે. તેથી તેમને સમજાવવું જોઇએ કે, શું ખાવું શું ન ખાવું, તેમને માટે સારૂં છે જેથી તેઓ ભવિષ્યમાં પણ તે અંગે સજાગ રહે. તેમ કહેતાં ‘એઇમ્સ’ના ચીફ ડાયેટિશ્યન પરમિત કૌર જણાવે છે કે સૌથી પહેલા તો તેઓને ‘જંક-ફૂડ’ આચર-કુચર નહીં ખાવા માટે  સમજાવવા જોઇએ. કારણ કે જંક ફૂડથી ખરા અર્થમાં સ્ટેમિના મળતો નથી. માત્ર પેટ ભરાઈ જાય છે. વળી તે જંક ફૂડ નુકસાનકારક પણ હોય છે તેઓએ દેશના છ રાજ્યો, ગુજરાત, પંજાબ, મહરાષ્ટ્ર, છત્તીસ ગઢ, આસામ અને તમિલનાડુમાં આ અંગે સર્વે હાથ ધર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષથી જ કિશોરોમાં પ્યુબર્ટી સાયકલ અને કિશોરીઓમાં મેન્સ્ટ્રઅલ સાયકલ શરૂ થાય છે. સાથે હાઈટ પણ વધે છે. હાર્મોનલ ચઢાવ-ઉતારને લીધે ઘણીવાર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત પણ નથી થતું તેવા સંજોગોમાં તેમને ફીઝીકલી તેમની મેન્ટલી ફીટ રાખવા માટે નિશ્ચિત પ્રકારનો ખોરાક ડાયેટ જરૂરી હોય છે. જેથી પોષક તત્ત્વોનો ઇન્ટેઇક વધે. વધુમાં  ગુજરાતમાં પોષણ સંબંધી સૌથી ઓછી જાગરૂકતા છે. તેમાં ઉચ્ચ સ્તરના સોડીયમ, અને ઉચ્ચ પ્રકારના પ્રસંસ્કૃત (સારી ક્વોલિટી)ના ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ઓછો થાય છે કેટલાક એવા ખાદ્ય પદાર્થો લેવામાં આવે છે. જેથી જાડાપણું વધે છે પરંતુ સાચા અર્થમાં પોષણ મળતું નથી. આ પરિસ્થિતિ હાનીકારક છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version