Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ નગરપાલિકાએ લીધો મહત્વનો નિર્ણય…ઉતરાયણ પર્વના દિવસે સિટી બસમાં શહેરીજનો માટે નિઃશુલ્ક...

ભરૂચ નગરપાલિકાએ લીધો મહત્વનો નિર્ણય…ઉતરાયણ પર્વના દિવસે સિટી બસમાં શહેરીજનો માટે નિઃશુલ્ક મુસાફરી…

  • ઉત્તરાયણ પર્વમાં અનિચ્છનિય ઘટના ન બને તે માટે પાલિકાએ લીધો નિર્ણય

ઉત્તરાયણ પર્વના દિવસે કોઈ અકસ્માત ન બને અને કાતિલ દોરાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વે સિટીબસમાં મુસાફરી કરવા માટે લોકોને પ્રેરણા આપવા આખા દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.

ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે. અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિતે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અને મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે નગરપાલિકા સંચાલિત સીટી બસ દ્વારા જાહેર જનતાના હિત અર્થે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરાશે. જેથી ઉત્તરાયણના દિવસે લોકો પોતાના વાહનોમાં મુસાફરી કરવાનું ટાળે અને આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને. શહેરીજનો વધુમાં વધુ સિટીબસનો ઉપયોગ કરે અને પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ ન કરે જેથી અકસ્માત ન બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!